ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
પંદરમી શાબાની ફઝીલત

પંદરમી શાબાની ફઝીલત

સૈયદ બિન તાઉસ ર.હ. ફરમાવે છેઃ

દરેક ઈન્સાનને જોઈએ કે આ મુબારક રાતમાં ખુદાનો આભાર પ્રકટ કરે કે એને ઈમામ મહેદી અ.જ. ને મોકલ્યો અને એમના સંમાનમાં કેયામ કરશે, એ ખુદા જેને એના સર્જનોમાં કરાર આપ્યો છે અને એના લશ્કરમાં નામ લખી લીધું છે, એ સેના જેને હઝરતના મદદગાર કહેવામાં આવે છે અને એ ઈસ્લામ અને ઈમાનના રાસ્તાને ઠીક કરવાવાળા છે અને કુફર, અવજ્ઞા, જુલ્મ વ અત્યાચારને ખતમ કરી દેશે.

એ સૌભાગ્ય અને કલ્યાણની છત્રછાયાને દરેક હાલમાં દુનિયાના પૂર્વથી પશ્વિમ સુધી અને દૂરતરીન જગ્યાએ કાએમ કરશે અને એને ખુદાની ખિદમતમાં કરાર આપશે આવી રીતે કે કોઈ પણ વ્યક્તિ આ હકીકતને સમજવાની શક્તિ ના રાખતો હશે. આવી રીતે રસુલે ખુદા સ.અ.વ. અને આ મહેરબાન વજૂદની ખિદમતમાં આભાર વ્યક્ત કરે કે જે આ સૌભાગ્ય, સરબુલંદી અને કલ્યાણના કારણ અને સબબ છે અને મોલૂદે મસઉદની અધ્યક્ષતા એમના હાથમાં છે.

એમના પાક અને પવિત્ર પૂર્વજોની ખિદમતમાં પણ આભાર વ્યક્ત કરીએ જે આ જન્મના મૂળ હતાં અને એમના આદર અને સંમાન માટે મદદગાર હોય અને પોતાને આપહઝરત અ.જ. ની ખિદમતમાં કરાર આપે જેવી રીતે દરેક સેવક પોતાના ઈમામ અને માલિક સામે સૌભાગ્ય, કલ્યાણ અને સ્થિરતાને સમજતાં એમની સેવા કરે છે.

જાહેર વાત છે કે ખુદાની તૌફીક અને મદદના વિના એટલા બધા વિશાળ અધિકારોને પૂર્ણ કરવું ઈન્સાનની શક્તિથી બાહેર છે તેથી દરેક ભાગ્યશાળી વ્યક્તિનો કર્તવ્ય છે કે પરવરદિગારે આલમ એ પોતાની મહેરબાની પ્રમાણે એમાં (ઈન્સાનમાં) જે પ્રયત્ન કરવાની શક્તિ આપી છે એના માધ્યમથી આ અમલને અંજામ આપવાનો પ્રયત્ન કરે.

આ ભાગમાં અમે એ દુઆઓ સમક્ષ કરીશું જેમાં ખુદાવન્દે આલમ પંદરમી શાબાનના એ અઝીમ મોલૂદ અને એમની મહત્તાની સોગંદ લે છે અને એ દુઆ આવી રીતે છેઃ

 

    મુલાકાત લો : 2005
    આજના મુલાકાતીઃ : 63755
    ગઈકાલના મુલાકાતીઃ : 261409
    સૌ મુલાકાતીની સંખ્યા : 153396848
    સૌ મુલાકાતીની સંખ્યા : 108999979