امام صادق فیق پوسی کسل بیونید پقری ناکهوےنمنرونه تهوک نارےنری ژهیوگنگ مه کهوی فیق پوے چوکی بیک پاٍ
ત્રીજી કિસ્મની ઈજાદાત

ત્રીજી કિસ્મની ઈજાદાત

ઈજાદાતની આ કિસ્મ ગ઼ૈબતના ઝમાનામાં લોકોના ઈસ્તેમાલમાં છે જેનો કોઈ મન્ફી (નેગેટીવ) પહેલુ નથી. હવે આવા આલાતના ભવિષ્ય શુ હશે?

આવી ઈજાદાત મોટી તેઅદાદમાં છે તો એના વિશે માં કહીશુ:

ઈલ્મ વ દાનિશની તરક્કી, અક્લી તકામુલ, અક્લની કુદરતમાં વઘારો અને ફિક્રી કુવ્વતના તકામુલથી અહેમ પિશરફતા અને નવા વસાએલના ઈજાદ થવુ વાઝેહ વાત છે જેના હોવા છતાં પાછળ અને કદીમ વસાએલની જરૂરત ખતમ થઈ જશે. આ મતલબની વઝાહત કરી દે છે કે આ મૌજુદા ઝમાનામાં જે વસાએલના ફાયદો લેવામાં આવે છે અગર એમને એક સદી પહેલાના વસાએલ અને આલાતથી બરાબરી કરે કે જેમાં એ ઝમાનામાં ફાયદો લેવામાં આવતો હતો એટલે શું રસ્સી અને બાલ્ટીના પાણી ના પમ્પથી મુકબલો કરી શકાય છે?

શુ કુંવા અને નહેરના પાણી નીકાળવાવાળા નવી મોટરના હોવા છતાં રસ્સી અને બાલ્ટીથી ફાયદો લઈને કોઈ સંભાવના બાકી રહી જાય છે?

છેવટે અત્યારે પણ દુનિયાના મહેરુમ અને ગુરબતની ચક્કીમાં પીસેલા બહુ ઈલાકાઓના લોકો રસ્સી અને બાલટી જ ફાયદો કરે છે. આ કલ્ચરર મુલ્કોની કમજોરી છે કે જેના વજહથી આ સનઅત દુનિયાના દરેક જગ્યામાં ફરાહમ નથી કરી શકાતી પરંતુ ઝ઼હુરના બાબરકત અને નેઅમતોથી સરશાર ઝમાનામાં આવું નહી હોય.

આપણે ઈમામ ઝમનાએ અ.જ. ની વિશ્વસ્નિય હુકુમતની ખાસિયતમાં બયાન કર્યું કે હુકુમતની ખાસિયતોમાંથી એક આ છે કે આપહઝરત ની હુકુમત આદિલ હુકુમત હશે. જેનો એ મતલબ છે કે એ દિવસે દુનિયાના તમામ લોકોને તમામ સહુલીયત મળશે.

 

 

    دورو ڪريو : 8854