ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
સહી અને જદીદ ટેકનોલોજી ફકત દીનના ઝીરેસાયા મુમકીન છે

સહી અને જદીદ ટેકનોલોજી ફકત દીનના ઝીરેસાયા મુમકીન છે

હવે એક અહેમ હયાતી નુકતાની તશરીહ કરીએ છીએ. આ નુકતા વાંચવા પછી કારેઈને કેરામના દીનના પિશરફ્તા આઈનના વિશેમાં નઝરીયા તબદીલ થઈ જશે.

હવે નુકતાને બયાન કરવા પહેલા એક મુખ્તસર મુકદ્દમા બયાન કરીએ છીએ આ કે ઈન્સાન ફકત એક માદ્દી મુજુદ વ મખ્લુક નથી કેમકે ઈન્સાન રુહ પણ રાખે છે પરંતુ શું ઈન્સાન સિર્ફ જિસ્મ અને રુહથી મુરક્કબ થયા છે? યા નફ્સ અને જિસ્મથી મખલુત થયા છે? યા ઈન્સાન રુહ, અકલ, નફ્સ અને જિસ્મના સમુહ ના નામ છે?

આ બહુ જ અહેમ સવાલો છે કે ઈન્સાનનો વજુદ કઈ વસ્તુઓની તશ્કીલથી મળે છે? ભુતકાળના ઝમાનામાં અદયાનના પેરુકારોએ આ વિશેમાં બહસ કરી અને એમણે પોતાની ફહેમના મુતાબિક જે વસ્તુઓ દર્ક કરી એને જ બયાન કરી. એ તમામ નઝરીયાતના કેટલાક તરફદાર છે અને દરેક પોતાના નઝરીયા સાબિત કરવા માટે કેટલીક દલિલો પેશ કરે છે.

અમને આ સાબિત કરવાની જરુ નથી કે ઈન્સાન રુહ અને જિસ્મના મુરક્કબ છે અને એ અક્લ વ નફ્સના માલિક છે, યા આ બંને રુહ અને જિસ્મના તાબેઅ છે યા આ બંનેથી ઈજાદ થયા છે?

અમે મકતબે અહલેબૈત અ.સ. ની પૈરવીથી આ મતલબ શીખ્યું છે કે રુહ મુસ્તકીલ વજુદ રાખે છે પરંતુ ઘણાં માદ્દી મકાતિબ એના બરખિલાફ રુહને જિસ્મના તાબેઅ સમજે છે.

 

 

    મુલાકાત લો : 2745
    આજના મુલાકાતીઃ : 159798
    ગઈકાલના મુલાકાતીઃ : 233230
    સૌ મુલાકાતીની સંખ્યા : 171221265
    સૌ મુલાકાતીની સંખ્યા : 125809054