امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
ઈન્તિઝાર ના કારણો

ઈન્તિઝાર ના કારણો

આપણે કોશીશ કરીએ કે ઈન્તિઝાર ના અસલ અર્થને જાણીએ અને આ હાલતને ખુદ અને બીજા લોકો સુઘી પહોંચાડીએ.

ઈન્તિઝારના મસઅલહને હાસિલ કરવા માટે, સીખાવ્વા અને એની અઝમત ને બીજા લોકો માટે કેટલીક રાહ મૌજુદ છે કે જેનાથી ફાયદો હાસીલ કરાને આપણે કલ્ચરમાં ઈન્તિઝારની હાલત પેદા કરી શકીએ છીએ અને એમનાં વુજુદની ગહેરાઈમાં ઈન્તિઝારનો બીજાને ફળદાર બનાવી શકીએ છીએ. હવે આપણે એ અહેમ રાહો બયાન કરાએ છીએ જેનાથી કલ્ચર ઈન્તિઝારાન મસઅલા તરફ માએલ થઈ શકીએ છીએ:

૧. વિલાયતના અઝીમ મકામ અને ઈમામ મહેદી (અ.જ.) ની અઝમતને પહેચાનવું.

૨. ઈન્તિઝારના હૈરાન કરવાવાળા પ્રભાવો ની સાથે એના કામીલ અર્થ અને બુલંદ મંઝિલોને પહેચાનવું.

૩. હઝરત ઈમામ મહેદી (અ.જ.) ના સહાબીયોની વિશેષતાઓ અને ખાસિયતોથી આશનાઈ જે ઈન્તિઝારના બુલંદતરીન મંઝિલમાં પહોંચી ગયા અને રૂહની અઝીમ તાકત એમાં આવી ગઈ છે અને ઈમામ મહેદી (અ.જ.) ના ફરામીન અને આદેશોનું પાલન કરી રહ્યા છે.

૪. ઈન્સાન અને દુનિયાના ભવિષ્યને પહેચાનવું, જે ઈમામના ઝહુરના જમાનામાં અઝીમ પરિવર્તન અને અહેમ ફેરફાર જોવા મળશે.[1]

હઝરત ઈમામ મહેદી (અ.જ.) ની દરજ્જાની મારેફત, આપહઝરતના મદદગઅરોની પહેચાન, અકલોની તકમીલ અને ઈલ્મી તકામુલ, આલમે મરઈ અને ગ઼ેબની સાથે નાતો, નઅશનાખ્તા મૌજુદાતની પહેચાન, સમગ્ર પરિસ્થિતિઓ અને આકાશમાં સફર કરવું અને એવા બીજા મસાએલ લોકોને ઈમામ મહેદી (અ.જ.) ના જમાનાના કુદરતના મસઅલા તરફ બુલાવે છે અને ઈમામના ગુપ્ત અને બુલંદ હુકુમતના માટે ઈન્તિઝારની હાલત અને તૈયારીને લોકોમાં પેદા કરે છે.

આવા હકીકતોથી આગાહી પાક તીનત માણસોના દિલ વ જાનમાં ખુશહાલી પેદા કરે છે અને એમને અઝીમુશ્શાન જમાનાએ આશિક બનાવી દે છે અને ઈન્તિઝાર વ ઝ઼હુરની હાલતને જે તમામ ઈન્સાનોના મુસલ્લમ કાર્ય છે, કલ્ચરમાં પેદા કરે છે. હવે ઝાક્રશુદા મતાલીબની તોઝીહ આપીએ છીએ:



[1] બીજી રાહો પણ મોજુદ છે જે ઈન્સાનને ઈન્તિઝારની તરફ બુલાવે છે જેમાંથી કેટલીક રાહો અમને કિતાબે “અસરારે મોવફ્ફકીય્યત” માં ઝીક્ર કરી છે જેમકે આખલાસ, મઆરીફથી આશનાઈ, અહલેબૈત (અ.સ.) ની મુહબ્બત, ખુદસઅઝ઼ી વગેરહ...

 

 

 

    بازدید : 2304
    بازديد امروز : 39811
    بازديد ديروز : 276813
    بازديد کل : 146744194
    بازديد کل : 100730237