﴾૭૨﴿ ઈમામ મહેદી અ.જ. થી બીજો તવસ્સુલ
﴾૭૨﴿
ઈમામ મહેદી અ.જ. થી બીજો તવસ્સુલ
“અલ-તોહફતુલ-રિઝવિય્યહ” પુસ્તકમાં લખે છેઃ
મગરિબની નમાજ પછી પયગમ્બ અને એમની આલે પાક અલૈહેમુસ્સલામ ઉપર સો (૧૦૦) વાર સલવાત મોકલો, પછી સિત્તેર (૭૦) વાર કહોઃ
يا اَللَّهُ يا مُحَمَّدُ يا عَلِيُّ يا فاطِمَةُ يا حَسَنُ يا حُسَيْنُ، يا صاحِبَ الزَّمانِ، أَدْرِكْني يا صاحِبَ الزَّمانِ.
પછી પયગમ્બરે અકરમ સ.અ.વ. ઉપર સો (૧૦૦) વાર સલવાત મોકલો અને પછી પોતાની હાજત માંગો.
“અલ-તોહફતુલ-રિઝવિય્યહ” પુસ્તકના લેખક આગળ લખે છેઃ સૈયદ અલ્લામહ મારા પિતાજી એ ફરમાવ્યું કેઃ આ અમલ મહત્વપૂર્ણ કાર્યો માટે પ્રયોગશાળી છે.[1]
[1] અલ-તોહફતુલ રિઝવિય્યહ, પાન નં ૧૫૦
بازدید : 2389
بازديد امروز : 47363
بازديد ديروز : 285904
بازديد کل : 120563506
|