الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
અલ-કતરહ પુસ્તકની ૫૩મી હદીસમાં આવ્યો છે કે અમુક લોકો આ હદીસના મત્ન અને સનદના માધ્યમથી

શ્રી હસનના માધ્યમથી

અલ-મુન્જી વેબસાઈટ માટેઃ

અલ-કતરહ પુસ્તકની ૫૩મી હદીસમાં આવ્યો છે કે અમુક લોકો આ હદીસના મત્ન અને સનદના માધ્યમથી સાકિત જાણે છે, આ ઈશ્કાલ પર તમારો તહેકીકી ઉત્તર શું છે, મહેરબાની કરીને આનો ઉત્તર અથવા એનો નેગેટીવ હોવાનો, મને ઈમેલ કરો, ધન્યવાદ, મત્ને હદીસઃ

૫૩/૭૭૦ કાફી પુસ્તકમાં લખે છેઃ જાફર બિન મુસન્ના ખતીબ કહે છેઃ

હું મદીનામાં હતો, એ સમય પયગમ્બર સ.અ.વ. ની કબરના ઉપર જે ધાબું હતું એ ખરાબ થઈને નીચે આવી ગયો હતો, કારીગરો ઉપર જતાં અને નીચે આવી રહ્યાં હતાં, હું બીજા લોકો સાથે હતો, મારા દોસ્તોથી કહ્યું કેઃ તમારામાંથી કોણ ઈમામ જાફર સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં જવાનો વચન આપે છે?

મેહરાન બિન નસ્ર એ કહ્યું કેઃ હું. ઈસ્માઈલ બિન અમ્માર સૈરફી એ કહ્યું કેઃ હું પણ વચન આપું છું.

અમે એ બે વ્યક્તિઓથી કહેવા લાગ્યાઃ ઈમામ સાદિક અલૈહિસ્સલામથી પુછજોઃ શું એવી રીતે ઉપર ચઢવું કે પયગમ્બરે ખુદની કબરની ઝિયારત થઈ જાય, અમારા માટે જાએઝ છે?

બીજો દિવસ આવ્યો, એ બે વ્યક્તિઓથી મુલાકાત થઈ અને બધા એક સાથે થઈ ગયા, ઈસ્માઈલ એ કહ્યું કેઃ જે કંઈ પણ તમે કહ્યું હતું અમે ઈમામથી આના વિશે પ્રશ્ન પુછ્યો, ઈમામ અ.સ. એ ફરમાવ્યું કેઃ

ما اُحبّ لأحد منهم أن يعلو فوقه ولا آمنه أن يرى شيئاً يذهب منه بصره ، أو يراه قائماً يصلّي ، أو يراه مع بعض أزواجه صلى الله عليه وآله وسلم.

હું એને દોસ્ત નથી રાખતો જે કોઈ પણ પયગમ્બરની કબરના ઉપર જાય અને સુરક્ષા ના આપીશ જે કોઈ વસ્તુને જોએ અને એની આંખોની રોશની ચાલી જશે અથવા આપહઝરતને નમાજની હાલતમાં જોવે અથવા એમની કોઈ એક પત્નિ સાથે જુવે.

 

ઉત્તરઃ

આ રિવાયતને મર્હૂમ આયતુલ્લાહ મુસતમ્બિત એ નક્લ કરી છે જેવી રીતે મોહદ્દેસીન અને આલમામાંથી દાખલા તરીકે મર્હૂમ કુલૈની અને મર્હૂમ મજલિસી એ પણ પોતાની પુસ્તકોમાં લખી છે અને આ રિવાયતને આ હાલતમાં નક્લ કરી છે કે એની સનદ અને મત્નમાં ધ્યાન રાખ્યો છે.

જાહેર છે કે આવી રિવાયત નક્લ કરવી જે સનદ અને મત્ન બંનેમાં ઝઈફ હોય, એટલા માટે છે કે એ બુઝુર્ગોના દષ્ટિકોણમાં એ રિવાયત ખાસ હતી.

વિવરણઃ ઓલમા વ બુઝુર્ગ લોકોએ આવી હદીસોને પોતાની પુસ્તકોમાં લખી છે એના મહત્વપૂર્ણ સબબમાંથી એક સબબ આ છે કે અગરચે એક હદીસ (જે સનદના માધ્યમથી ઝઈફ છે) દલીલ નથી લાવતાં અને એને સાકિત જાણે છે પરંતુ આ હાલતમાં એવી રિવાયતો પોતાની પુસ્તકોમાં ઝિક્ર કરે છે તેથી કેટલીક રિવાયતોના વજૂદથી (અગર તવાતુર સુધી પહોંચી જાયે તો) એને દલીલ રીતે બયાન કરી શકીએ છીએ.

બીજો નુકતો આ કેઃ એ રિવાયત મુમકિન છે એક વિધ્દ્વાનના દષ્ટિકોણથી સનદ યા મત્નમાં ઝઈફ હોય અને બીજા આલિમ માટે એવી ના હોય.

મહત્વપૂર્ણ અર્થ જેના ઉપર ધ્યાન રાખવું જોઈએ આ છે કેઃ જેવી રીતે તમે જાણો છે કે દીનના દુશ્મનોએ ઈસ્લામની શરૂઆતમાં હદીસ લખવા અને એને નક્લ કરવાથી મનાઈ કરતા હતાં અને જ્યાં સુધી મુમકિન હતો વાર્તા અને નવલકથીને એની જગ્યાએ બયાન કરતા હતાં.

એના સિવાય ના ફકત હદીસો ગઢવામાં જે પોતાના લાભ માટે હતો, એક બીજી ખિયાનત પણ હદીસને અકિંમત બનાવ્વાનો સબબ હતો એ રિવાયતના મત્નને સાકિત કરવો હતો જેમકે હદીસના પ્રથમ, દરમિયાન અથવા અંતનો ભાગને કાટી દેતા હતાં તેથી લોકોને હદીસના અસલમાં શંકા થઈ જતી, અને અમુક જગ્યાએ હદીસના મૂળ મત્નમાં જ કમી કરીને રિવાયત નક્લ કરતા હતાં પરંતુ એની શરૂઆત, દરમિયાન અથવા અંતમાં ઈજાફો કરતા હતા.

આ હકીકત છે કે સુન્ની ભાઈઓએ જેનો વિવરણ કર્યો છે ઉદાહરણ માટે “અલ-અઝવાઓ અલસ સુન્નતીલ મોહમ્મદિય્યહ” પુસ્તકને જોઈ શકીએ છીએ.

એ ના ફકત રિવાયતોના મત્ન સુધી પહોંચવા માટે શિર્ષક નક્લ કરે છે બલ્કે “નોવી” થી શરહે મુસ્લિમ પુસ્તકથી નક્લ કરે છે કે ક્યારેક અમુક વ્યક્તિઓ રિવાયતની સનદોમાં ખિયાનત કરીને એમાં કમી અથવા વધારો કરે છે.

આ મતાલિબને ધ્યાનમાં રાખીને રિવાયતમાં સનદ અથવા મત્નને ઝઈફ હોવામાં એની કિંમતને ના માનીએ કેમકે કેટલીક સનદ વ મત્નને દુશ્મનોએ બદલી નાખી છે અને અમે એ રિવાયતો લાવીને એને તવાતુર સુધી પહોંચાડી શકીએ છીએ અથવા એ મત્ન જેમાં કમી છે બીજી રિવાયતો સાથે સંપૂર્ણ કરીએ, એવી રીતે ના કે એ રિવાયતોને બાતિલ જાણીને પોતાની પુસ્તકોમાં નક્લ ના કરીએ.

અંતમાં વિતેલી રિવાયતને એવી રીતે વિવરણ કરી શકીએ છીએઃ

(પયગમ્બરે અકરમ સ.અ.વ. ના જમાનામાં) હરમના ધાબા ઉપર જવું એવી રીતે કે આપહઝરતની કબરની ઝિયારત કરીએ, ઈમામ જાફર સાદિક અલૈહિસ્સલામને પસંદ નથી, (જેવી રીતે આપહઝરતની હયાતના જમાનામાં) એમના ઘરના ધાબા ઉપર જવું કે આપહઝરતને જોઈ શકાય દરેક હાલમાં જાએઝ નથી અને અમુક હાલતમાં એ વ્યક્તિને આંધડો થવાનો સબબ થઈ શકે છે.

અલ-મુન્જી ઈલ્મી વેબસાઈટ

 

زيارة : 1515
اليوم : 149647
الامس : 301136
مجموع الکل للزائرین : 148017749
مجموع الکل للزائرین : 101367296