حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
ઈલ્મ દુનિયાની મુશ્કિલોને હલ નથી કરી શકતો

ઈલ્મ દુનિયાની મુશ્કિલોને હલ નથી કરી શકતો

૨. અલગ કાનુનોને હાસિલ કરવા માટે આલમે માદ્દહ માં હાકિમ મીકયાસ અને પૈમાના (જેવી રીતે સેકેંડ, સેંન્ટી મીટર, ગ્રામ વગેરે) હકીકતે રુહ, જાઝ઼ેબા, નફ્સ, રુહ, અક્લ અને એની જેમ બીજા અસબાબને સમજવા માટે ઈસ્તેમાલ નથી કરી શકતા. આ પરથી માહેરીને તબ્ઈયાતના નઝદીક કુવ્વતે જાઝ઼ેબાની હકીકત નામાલુમ છે. આવી રીતે ઈલેકટ્રીસીટા, ચુંબક યા કુદરત (ચાહે એ એટમ હોય યા હરકતની યા ઈલેકટ્રીક) ની હકીકત પણ નામાલુમ છે. ફિઝ઼િક્સના માહેરીન એઅતેરાફ કરે છે કે એ હરગીઝ ગૈર માદ્દી વસ્તુની હકીકતને સમજવાથી આજીઝ છે હત્તા કે એ હકીકત માદ્દહને ના સમજવાના પણ એઅતેરાફ કરે છે કેમકે માદ્દહની અસ્લ એટમની તરફ છે અને એટમ પ્રટોન, નયુટ્રોન અને એક બીજી કુવ્વતના મજમુઆના નામ છે કે નવો ઈલ્મ હંમેશા આના પહેચાનથી આજીઝ રહયો છે.[1]

૩. ઈલ્મે તબઈયાત અત્યાર સુઘા આ સવાલનો જવાબ નથી આપી શકયા કે આમારા ચિરાગના નુર જે એનર્જી છે એ કેવી રીતે માદ્દહમાં બદલી જાય છે? અગર ફિઝ઼ીક્સએ ઈલ્મને એ સવાલના જવાબ મળી જાય તો એક જ વારમાં કેટલાક વર્ષોના ઈલ્મી સફર તૈ થઈ શકે કેમકે ફિઝ઼ીક્સમાં ભેદોમાંથી મોટો રાઝ આ જ વસ્તુ છે. ખિલ્કતના મોટા રાઝ પણ આ સવાલના જવાબમાં મન્ફી છે કે કુદરત ની જેમ માદ્દહમાં બદલી થઈ શકે છે. માદ્દહની કુદરતમાં તબ્દીલ થવુ આપણી નજરમાં આમ છે. આપણે દિવસ વ રાત, કારખાના, જહાજ, કશ્તીઓ, ગાડીઓ, ઘરો હત્તા કે પોતાના બદનમાં પણ માદ્દહને કુદરતમાં બદલી દે છે પરંતુ આજ સુઘી કોઈ માદ્દહને એનર્જીમાં બદલી નથી શકયા. અત્યાર સુઘી આ માલુમ નથી થઈ શકયુ કે દુનિયામાં કુદરત કેટલી માદ્દહમાં તબદલ થાય છે.[2]

૪. અમે ૨૬ સદીઓ પછી “ઈલ્મે તબઈયાત અને માબાદ તબઈયાત” ની બઘી તરક્કીના બાવજુદ ફિઝ઼ીકલ અને જિસ્માની લેહાઝથી શુરૂએ દુનિયાના વિશે ૬૦૦ વર્ષ પહેલા મસીહમાં યુનાનના ફલ્સફીના નજરીયાની હદથી બાહર નથી નીકળી શકયા. હાઈડ્રોજન એટમના અનાસિરમા. સૌથી હલ્કો ઉન્સુર છે જેમાં એક ઈલેટ્રોન અને બીજા પ્રોટોન છે. ઈલેકટ્રોન, પ્રોટોનની તરફ ચક્કર લગાવે છે પરંતુ અત્યાર સુઘી ફિઝ઼ીક્સના કોઈ પણ નજરીયામાં એના ઈલ્મી કાનુનને તલાશ નથી કર્યું. આ પણ નથી માલુમ કર્યું કે પ્રોટોન વજુદમાં આયુ હતુ કે ઈલેકટ્રોન યા આ બંને એક સાથે વજુદમાં આવ્યા હતા કે જેમાંથી એક વીજળીની મુસ્બત (પોઝ઼ીટીવ) અને બીજી મન્ફી (નેગેટીવ) કુદરત રાખતો હતો?

એકવીસમી સદીથી આજ સુઘી આ વિશેમાં જે કંઈ કહયુ એ સિર્ફ એક થિયરી છે. અમે શરૂઆતી દુનિયાની પહેચાનના લેહાઝથી “આના ગઝીમાન્સર” ના દોરના યુનાની લોકોથી વઘારે નથી જાણતા.[3]

ભુતકાળ મતાલીબ પર તવજ્જો કરવા પછી હવે આપણે કેટલાક અહેમ નુકાત બયાન કરીએ છીએ:

૧. અલગ અલગ ઉલુમ એક બીજાથી બે રબ્ત નથી. ઈલ્મના કોઈ એક શોઅબામાં ગલતી ના સિર્ફ ઈલ્મી તરક્કી માં ઠહેરાવના સબબ બને છે બલ્કે ઉલુમના બીજા શોઅબાઓ પર પણ અસર અંદાઝ હોય છે કે જે એ ઈલ્મથી મરબુત છે.

૨. ગ઼ૈબતના ઝમાનામાં કેટલાક દાનિશવર અને આવી રીતે એ ઝમાનાથી પહેલા પણ કેટલાક દાનિશવર પોતાના શાગિર્દો અને અવામના દરમિયાન નુફુઝ કરી ચુકયા હતા એમના શાગિર્દો એમની અઝમત અને શખ્સીયતની વજહથી એમના નઝરીયાતને દિલ વ જાનથી કબુલ કરતા હતા. નસ્લ દર નસ્લ આવુ જ થતુ રહયું. શખ્સીયતના લેહાઝ કરતા શાગિર્દ પહેલા શખ્સના નઝરીયાતને કબુલ કરતા અને એનેજ આગળ વઘાવતા. કયારેય ઉસ્તાદની શખ્સીયતના લેહાઝ એ કદ્ર બઘારે હોય કે અગર કોઈને ઉસ્તાદની ગલતીના ઈલ્મ પણ હોય તો એમાં ઇઝહારની જુરઅત ના હોત કે કયાંક બીજા એની મુખાલિફત વ બુરાભલા કહેવુ અને કયાંક બેજા મુસીબત ઊભી નો થઈ જાય કે જેનાથી એની આબરુરેઝી હોય. આમ એ પોતાના સહી અફકારના ઈઝહાર કરવાથી ડરતા અને ઈઝહાર ના કરતા. તુલે તારીખમાં આવા કેટલાક વાકેઆત મૌજુદ છે.

૩. કયારેક કેટલીક તહેરીફ શુદા મઝાહેબ, બેબુનિયાદ નજરીયાત અને ઉલુમની તરફદારી અને હિફાઝત કરતા અને લોકોમાં પોતાના નુફુઝના લીઘે બીજાથી ખોટા અકીદઓની મુખાલેફત કરવાની જુરઅત છીનવી લે છે. જેમ કે કલીસાએ અરસ્તુના નજરીયાત ની હિમાયત કરવુ. એવા મવારીદમાં તહરીફ શુદા દીન અને દાનિશ ખયાલી નસ્લ દર નસ્લ ચાલતી રહે છે જે સમાજને તરક્કી વ હકીકતથી દુર કરવાના સબબ બને છે.

૪. દાનિશવરોની ગલતીઓ, ઈશ્તેબાહાત અને ઝાલિમોના ઈલ્મથી ગલત ફાયદો હાસિલ કરવુ અને ઈલ્મની મહેદુદીય્યત જેવા મવાનેઅ ના લીઘે દુનિયાને આઈડીયલ કલ્ચર અને નગર નહી બનાવી શકતો.

૫. ઝ઼હુરના બાબરકત ઝમાનામાં કે જ્યારે આખી દુનિયામાં ઈલ્મ વ હિકમત અને દાનિશના ચર્ચા હશે. બઘા લોકો સાચા ઈલ્મના ચશ્માથી સેરાબ હશે ત્યારે ના સિર્ફ ઈલ્મ ખયાલી ના ઈઝહારની કોઈ જગ્યા બાકી રહેશે બલ્કે દુનિયાના વાહેદ દીન અને હુકુમતથી દુનિયાના તમામ લોકો હકીકી, સાચા મકતબ અને શીયા તાલીમાતના પરચમ નીચે ઝિંદગી ગુઝારશે. પછી બાતિલ અને તહેરીફ શુદા મકતબના નામો નિશાન માટી જશે. એ સમયે બઘા લોકો ગુજરેલાં લોકોની ગલતીઓથી આગાહ થઈ જશે. આ બાબરકત અને મુબારક દિવસની આમદપર સહી ઈલ્મ વ દાનિશના રોશન નુરની વજહથી ફરાર કરવાવાળા ચામાચીડીયા માટે કોઈ જગ્યા બાકી નહી બચે.



[1] રાહે તકામુલ, જીલ્દ ૫, પેજ નં ૮૯

[2] મગ઼ઝ઼ે મુતફક્કીરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૪૪

[3] મગ઼ઝ઼ે મુતફક્કીરે જહાને તશય્યોઅ, પેજ નં ૧૧૨

 

 

    ملاحظہ کریں : 2279
    آج کے وزٹر : 195014
    کل کے وزٹر : 226086
    تمام وزٹر کی تعداد : 147506399
    تمام وزٹر کی تعداد : 101111524