Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
“સહીફએ મહેદીયહ” પુસ્તકના નયા પ્રકાશનમાં ૧૨૫૦ થી વધારે પાનાં.

“સહીફએ મહેદીયહ” પુસ્તકના નયા પ્રકાશનમાં ૧૨૫૦ થી વધારે પાનાં.

 

“અલ-સહીફતુલ- મુબારકતુલ- મહેદીયહ” પુસ્તક ૧૫મી શાબાન ૧૪૧૯ હીજરીમાં પ્રકાશિત થઈ હતી જેમાં ૭૬૦ પાનાં અને એનો સાઈઝ વઝીરી (B5) હતો જેનો ભાગ નાયાબ થઈ ગયો. હવે કેટલાક વર્ષો ગુજરયા પછી આ વર્ષે ૧૪૩૩ હીજરીમાં સુધારો અને નયા ઈઝાફાની સાથે વઝીરી સાઈઝમાં આ પુસ્તક ફરીથી પ્રકાશિત થઈ છે જે ઈન્શા અલ્લાહ ખૂબ જ ટૂંક સમયમાં ઈમામે ઝમાના (અ.જ.) ના મુહિબ્બોને પ્રાપ્ત થશે.

આ પુસ્તકમાં એક મુકદ્દમહ, ૧૬ અધ્યાય અને એક ખાતેમહ છે અને એના અંતમાં આમ અનુક્રમણિકા છે જેમાં આયતો, રિવાયતો, દુઆઓ, ઝિયારતો અને પુસ્તકના વિષયો અને સ્ત્રોતોની યાદી પણ સામેલ છે. છેવટે મહેદવીય્યતના વિષયમાં આ એક ઉત્તમ અને શ્રેષ્ઠ પુસ્તક છે.

અમે આશા રાખીએ છીએ કે આની પ્રશંસા થશે અને મુન્જીએ આલમે બશરીય્યત હઝરત મહેદી અજ્જલ્લાહ ફરજહુશ્શરીફના ચાહનાર અને મુહિબ એનાથી લાભ લેશે.

 


 

Mengunjungi : 6663