हमारा लोगो अपनी वेबसाइट या वेबलॉग में रखने के लिए निम्न लिखित कोड कापी करें और अपनी वेबसाइट या वेबलॉग में रखें
﴾૨૭﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે સલવાત

 

૨૭﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે સલવાત

ગુરાવારના દિવસે અસરથી શુક્રવારના અંત સુધી

શેખ તૂસી ર.હ. લખે છેઃ

મુસ્તહબ છે કે ઈન્સાન ગુરુવારના દિવસે અસરની નમાજ પછી શુક્રવારના અંત સુધી રસુલે અકરમ સ.અ.વ. ઉપર વધારે સલવાત પઢે અને કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ، وَأَهْلِكْ عَدُوَّهُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ، مِنَ الْأَوَّلينَ وَالْآخِرينَ.

અગર આ ઝિક્ર સો (૧૦૦) વાર કહે તો આની ફઝીલત વધારે છે.[1]

શેખ કફઅમી ર.હ. કહે છેઃ

મુસ્તહબ છે કે ગુરુવારના દિવસે એક હજાર વાર સુરએ “કદર” પઢે અને રસુલે અકરમ સ.અ.વ. ઉપર હજાર વાર સલવાત મોકલે અને પછી વિતેલી સલવાત પઢે.[2]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૨૬૫, અને ૨૫૭માં થોડાક ફરકની સાથે.

[2] અલ-મિસ્બાહ, પાન નં ૧૭૭

 

 

यात्रा : 6434