ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
શું જંગે અઝીમનો થવું ઝહૂરના સંકેતોમાંથી છે?

 

શું જંગે અઝીમનો થવું ઝહૂરના સંકેતોમાંથી છે?

 

શું જમીનના ઉપર જંગે અઝીમની આગ ભળકવી ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂરના સંકેતોમાંથી છે અથવા નહીં?

જંગે અઝીમ થવી હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂરના સંકેતોમાથી છે પરંતુ એ જંગનુ પ્રારંભ થવું યકીની અને હકીકતમાં નથી અને કોઈ પણ આવી રિવાયતમાં વિશ્વસનીય જંગનો વર્ણન નથી થયો જેમાં ઝહૂરના વાસ્તવીક સંકેતો બયાન થયાં છે.

અગરચે જનાબ સૈયદ હસનીના કેયામ અને સુફિયાની ખુરૂજથી અમુક દેશોમાં જંગની આગ ભળકી જશે પરંતુ એનો મતલબ એ નથી કે દુનિયાના બધા દેશોમાં જંગ થશે. એટલા માટે જંગે અઝીમ અવાસ્તવિક સંકેતો માટે છે પરંતુ અમુક ઠોસ કાર્યોથી એને રોકી પણ શકાય છે.

અમુક બુઝુર્ગોના દષ્ટિકોણના મુતાબિક હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફનો ઝહૂર અચાનક થશે તેથી સંભવ છે કે અમુક યકીની નિશાનીયો પણ ના આવશે કેમકે આ દષ્ટિકોણના મુતાબિક વાસ્તવિક સંકેતો ફકત સંકેત હોવામાં જ વાસ્તવિક છે એને હકીકતમાં હોવાના એતેબારથી નહી.

આ પણ દુર નથી કે દુનિયાના ખુદ ગર્જ અને હુકૂમતના નશામાં ગ્રસ્ત રાજનીતિક લોકો દુનિયાને જંગની આગમાં નાખીને કરોડો ઈન્સાનોને એમાં જલાવી દે કેમકે આ જ નવો કલ્ચર છે.

 

 

મુલાકાત લો : 3090
આજના મુલાકાતીઃ : 143601
ગઈકાલના મુલાકાતીઃ : 249793
સૌ મુલાકાતીની સંખ્યા : 172157957
સૌ મુલાકાતીની સંખ્યા : 126421882